ગીર સોમનાથના બાગાયતદારોને આંબા અને ચીકુની કલમો અંગે જાણવા જોગ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાગાયતખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તમામ ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતાની નર્સરી ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સારી ગુણવત્તાવાળી અને તદ્દન વ્યાજબી ભાવે આંબા અને ચીકુની કલમો ઉપલબ્ધ હોવાથી તા. ૧૫/૦૫/૨૦૨૩ના રોજ એક જ દિવસ રૂબરૂ અરજી કરવાની રહેશે અને સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે સાથે બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના (મહોબતબાગ), દેલવાડા રોડ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે. Post Views: 67
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed